મોરબી રોડ બાયપાસ પાસે મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં માવતરે રહેતી મૂક-બધિર પરિણીતા અંકિતાબેને સુરતના વરાછામાં રહેતા પતિ જયદીપ, સસરા મુકેશભાઇ ગોહેલ અને સાસુ શીતલબેન સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન 2017માં જયદીપ સાથે થયા છે.લગ્નના પાંચ દિવસ પછી જ પતિ, સાસુ-સસરાએ સામાન્ય બાબતોએ ઝઘડો કરી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની મૂક-બધિર પરિણીતાએ સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાઓ સામે માર મારી દહેજની માગણી તેમજ છૂટાછેડા આપી દેવાનું દબાણ કરી માનસિક, શારીરિક ત્રાસ આપ્યાની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોતે મૂક-બધિર હોવાને કારણે સાસુને ગમતું ન હતું. જેથી તેઓ પતિને દહેજ માગવા ચડામણી કરતા હતા. જેને કારણે પતિ પોતાને પિયરથી દહેજ લઇ આવવા દબાણ કરી માર મારતા હતા.
Read About Weather here
જ્યારે સાસુ-સસરા દહેજ મુદ્દે મેણાં મારતા હતા. અંતે પતિ તેમજ સાસુ-સસરાનો અનહદ ત્રાસ થતા પોતે રાજકોટ પિયર આવી ગઇ હતી. સમાધાન માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં કંઇ નહિ થતા અંતે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.દાંપત્ય જીવન ન તૂટે તે માટે અવારનવાર દહેજ સહિતના મુદ્દે સાસરિયાઓનો ચાર વર્ષ સુધી ત્રાસ સહન કર્યો હતો.ચાર વર્ષ ત્રાસ સહન કરતા સાસુ-સસરાની ચડામણીથી પતિ જયદીપ છૂટાછેડા આપવા દબાણ કરતા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here