ગુજરાતના આઠ મહાનગરોમાં હવે રાત્રી કફર્યૂ રાતનાં 12થી શરૂ

ગુજરાતના આઠ મહાનગરોમાં હવે રાત્રી કફર્યૂ રાતનાં 12થી શરૂ
ગુજરાતના આઠ મહાનગરોમાં હવે રાત્રી કફર્યૂ રાતનાં 12થી શરૂ

તહેવારોના સંદર્ભમાં રાજય સરકારે બહાર પાડયું નવું જાહેરનામું

કોરોના મહામારના સંદર્ભમાં રાજયનાં આઠ મહાનગરોમાં લાદવામાં આવેલા રાત્રી કફર્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી દશેરા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને આવતીકાલ થી તા.10 નવેમ્બર સુધી

Visit Saurashtra Kranti Homepage here

રાજયના આઠ મહાનગરોમાં રાત્રી કફર્યુનો સમય રાતના 12થી સવારના 6 સુધીનો કરવામાં આવ્યો છે. રાજયના ગૃહ વિભાગ દ્વારા ગઇકાલે નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગૃહ ખાતાના જાહેરનામાં મુજબ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં આવતીકાલ રવિવારથી એક મહિના સુધી નાઇટ કફર્યુ રાતનાં 12 થી 6 સુધીનો રહેશે.

કોવિડને લગતા અન્ય નિયંત્રણો પણ અમલમાં રહેશે એવું જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાસ ગરબામાં વેક્સિનની વ્યવસ્થા રાખવા, માસ્કના નિયમોનું પાલન કરાવવા અને વેક્સિન લેનારને જ રાસ ગરબા રમવા દેવાની રાજય સરકારે તાકિદ કરી છે

Read About Weather here

અને અમલ કરાવવા માટે પગલા લેવા તમામ મહાનગરો નાં પ્રશાંસન અને તમામ જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here