કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતીક સમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે તા.10 ને શુક્રવારે ભીમ અગીયારસના ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. સવારે મંગળા આરતી યોજાશે. સવારથી ભોળાનાથને રીઝવવા ભાવિકો દ્વારા જલાભીષેક, દુગ્ધાભીષેક, બીલીપત્રમ્, શેરીડીતોરસ, મધ, તલ, ઘી, પુષ્પ, ગુલાબજલ, ધતુરા, ચડાવવામાં આવશે. અને પૂજન-અર્ચન કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
ભીમ અગીયારસને નિર્જલા એકાદશી કહેવાય છે. સાંજે કોટેશ્ર્વર મહાદેવ મંદિરે 7:30 કલાકે સાંયકાલ મહાઆરતી યોજાશે. ભીમ અગીયારસનું વ્રત રહેવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે.
Read About Weather here
ભાવિકો પુણાનું ભાથું બાંવશે. ભીમ અગીયારસના દિવસે જય તપ અને દાન વિશેષ મહિમા રહેલ છે.ધર્મપ્રેમી ભાવિકો દર્શન તમેજ પૂજન-અર્ચન અને મહાઆરતીનો લાભ લેવા કોટેશ્ર્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઈ કારીયા, રશ્ર્વીનભાઈ જાદવ, સીધ્ધરાજસિંહ પી.જાડેજા, જયભાઈ આસોડીયા, શનિ જાદવ, અલ્પેશભાઈ ભીમજીયાણી, જયેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મનોજ મકવાણા, ધર્મદીપસિંહ જાડેજા, હિતેશભાઈ મીસ્ત્રી, પ્રતાપસિંહ જાડેજા, વિશાલભાઈ ચૌહાણ, હિતેષભાઈ સોલંકી તથા મંદિરના પૂજારી રસીકગીરીબાપુ (અતીત) દ્વારા અનુરોધ કર્યો છે. તેમ મંદિરની યાદીમાં જણાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here