રાજકોટના નવા એરપોર્ટ પાસે પાન-બીડીની કેબિન રાખવા જેવી નજીવી બાબતે ગારીડાના શૈલેષ ચનાભાઈ કુંભાણી (ઉ.વ.30)ની હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ હતી.પાંચેક આરોપીઓ સામે ગુનો નોંધી એરપોર્ટ પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
બનાવની વિસ્તૃત વિગત મુજબ મૃતક શૈલેષના પત્ની ભાવિકાબેન કુંભાણી (ઉ.વ.27)એ ફરિયાદ નોંધાવતા ગારીડા ગામના જ નરેન્દ્ર રઘા ધોરીયા તેનો ભાઈ મહેશ રઘા ધોરીયા,રમેશ દેવશી ધોરીયા, અને તેનો દીકરો વિક્રમ ઉર્ફે ગુનો રમેશ ધોરીયા તેમજ એક અજાણ્યા શખ્સને આરોપી તરીકે દર્શાવ્યા છે.
Read About Weather here
આરોપીઓએ ભીલુડા અને બોથા પદાર્થના ઘા મારી શૈલેષને ગંભીર ઈજા પહોંચાડી હતી લોહી લુહાણ હાલતમાં પડયા હતા તેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડયા હતાં. જયાં સારવારમાં રાત્રે 11.50 વાગ્યે તેકારે તેમને મૃદત જાહેર કર્યા હતા.જેથી તેમનું મોત નિપજતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here