ઈન્ડિગો એરલાઈન્સની રાજકોટ-ગોવાની સીધી ફ્લાઈટ સપ્તાહમાં મંગળ, ગુરુ અને શનિવાર એમ ત્રણ દિવસ શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં આગામી 28 માર્ચથી રાજકોટથી ગોવાની ફ્લાઈટ સેવા શરૂ થનાર છે. દર મંગળ, ગુરૂ, અને શનિવારે બપોરે સવારે 11.10 વાગ્યે ગોવાથી ટેક ઓફ થઈ બપોરે 12.45 વાગ્યે રાજકોટ લેન્ડ થશે અને બપોરે 1.15 વાગ્યે રાજકોટથી પરત ગોવા જવા ટેકઓફ થઈ 2.50 વાગ્યે ગોવા લેન્ડ થશે.
Visit Saurashtra Kranti Homepage here
ઈન્ડિગો કંપનીએ પર્યટકો અને મુસાફરોના ટ્રાફિકના ધ્યાને લઈ 28મી માર્ચથી ગોવા સેક્ટર શરૂ કરવાનો નિર્ણય લેતા ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજકોટ-ગોવા વચ્ચે સીધી ફ્લાઈટનું ઉડ્ડયન શરૂ થનાર છે. આ ફ્લાઈટના એડવાન્સ બુકિંગ માટે વિન્ડો પણ શરૂ કરવામાં આવી છે. ઉનાળુ વેકેશનમાં ગોવા જવા ઈચ્છુક સૌરાષ્ટ્રવાસીઓને ગોવાની સીધી હવાઈ સેવા ઉપયોગી નિવડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here