RBI એ કહૃાું કોરોનાની બીજી લહેર અર્થતંત્ર માટે જોખમી, કોવિડ સેવાઓ માટે ૫૦ હજાર કરોડની સસ્તી લોન આપશે
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહૃાું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગર્વનરે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી. આરબીઆઇ ના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું છેકે, કોરોનાની બીજી લહેર ભારતના અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ રહી છે. દેશના ઘણાં બધા રાજ્યોમાં હાલ લોકડાઉન કે પછી લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે RBI ગર્વનર દાસે કોવિડ સાથે જોડાયેલાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૫૦ હજાર કરોડની સસ્તી લોન આપવાની જાહેરાત કરી છે.
RBI ના ગર્વનર દાસે કહૃાુંકે, હાલની સ્થિતિને જોતા વેક્સિન ઉત્પાદકો, હોસ્પિટલ, લોજિસ્ટિકને પ્રાયોરિટી સેક્ટરમાં સમાવાશે કોરોના સંલગ્ન તમામ સેક્ટરને બેંક સરળતાથી લોન આપી શકશે. લિક્વિડિટી સુધારવા માટે ૫૦,૦૦૦ કરોડના લોનની વિન્ડો ઓપન કરી આ સિવાય બેંકો પોતાની સરપ્લસ લિક્વિડિટીમાંથી પણ લોન આપી શકશે.
Subscribe Saurashtra Kranti here
વધુમાં કોરોનાની બીજી લહેર ઘાતક છે પ્રથમ લહેર બાદ ઈકોનોમીમાં શાનદાર રિકવરી જોવા મળી રહી છે તમામ આર્થિક આંકડા અર્થતંત્રમાં મજબૂતી સૂચવી રહૃાાં છે GST, PMI, ટોલ કલેક્શન સહિતના આંકડા સકારાત્મક છે જોકે દેશમાં મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય મોંઘવારી દર ઉંચો છે આરબીઆઇ નજર તમામ આંકડા પર છે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે તેથી મોંઘવારી કાબૂમાં જ છે
વેક્સિન ઉત્પાદકો, હોસ્પિટલ, લોજિસ્ટિકને પ્રાયોરિટી સેક્ટરમાં સમાવાશે કોરોના સંલગ્ન તમામ સેક્ટરને બેંક સરળતાથી લોન આપી શકશે. લિક્વિડિટી સુધારવા માટે ૫૦,૦૦૦ કરોડના લોનની વિન્ડો ઓપન કરી આ સિવાય બેંકો પોતાની સરપ્લસ લિક્વિડિટીમાંથી પણ લોન આપી શકશે. આ સુવિધા ૩ વર્ષ સુધી લાગુ રહેશે. માર્ચ, ૨૦૨૨ સુધી આ સ્કીમ હેઠળ લોન લઈ શકાશે.
Read About Weather here
વ્યક્તિગત અને MSME જ લોન ધારકોને લોન રીસ્ટ્રકચિંરગની સ્કીમનો સમયગાળો લંબાવી આપવામાં આવ્યો બેંકો ૨૫ કરોડની લોન રીસ્ટ્રકચર કરી શકશે. જોકે આ સુવિધા વન ટાઈમ રીસ્ટ્રકચિંરગ માટે જ હશે અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ અગાઉ રીસ્ટ્રકચિંરગ સ્કીમ ૧.૦ લોન્ચ કરી હતી આ જ સ્કીમ હેઠળ લોન મોરેટોરિયમ ૨ વર્ષ સુધી બેંકો લંબાવી આપી શકશે શરત : ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ આ લોન સ્ટાન્ડર્ડ લોન હોવી જરૂરી બેંકોને કોવિડ લોન બૂક બનવવા આદૃેશ.
SME અને MSME જને ૧૦ લાખની લોન આપી શકશે ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૧ સુધી આ લોન આપી શકાશે સ્મોલ ફાઈનાન્સ બેંકને પણ લોનમાં છૂટ આપવામાં આવી. જે અંતર્ગત SME અને MSMEજને મહત્તમ ૧૦ લાખની લોન આપી શકશે. લોન આપવા માટે ૧૦,૦૦૦ કરોડની ફાળવણી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૧ સુધી આ લોન આપી શકાશે. ૫૦૦ કરોડ સુધીનું મૂલ્ય ધરાવનાર માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓને SFB આ લોન આપી શકશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here