દેશમા કોરોનાથી મૃત્યુદર ૧.૨૪ ટકા છે
Subscribe Saurashtra Kranti here
દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ રોજબરોજ વણસી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અંદર દેશમાં રેકોર્ડબ્રેક ૨૧૬૬૪૨ લોકો સંક્રમિત થયા છે. ગયા વર્ષે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો એક દિવસનો મળેલો આ સૌથી મોટો આંકડો છે. એક દિવસમાં ૧૧૭૮૨૫ લોકો સાજા પણ થયા છે. જ્યારે ૧૧૮૨ લોકોના મોત થયા છે.
ભારતમાં એકટીવ કેસની સંખ્યા ૧૫ લાખને પાર કરી ગઈ છે. હાલ ૧૫૬૩૫૮૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૧.૭૪ લાખ લોકોના જીવ ગયા છે.
દેશમાં કોરોનાનો કહેર એટલો વધુ છે કે વિશ્ર્વના ટોચના ૨૦ સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના ૧૫ શહેરો આવ્યા છે. પૂણે આ યાદીમાં ટોપ પર છે જ્યારે મુંબઈ બીજા ક્રમે છે. દેશના લગભગ ૧૨૦ જિલ્લાઓમાં ઓકિસજન, વેન્ટીલેટર અને અન્ય સુવિધાઓની ખામી છે.
દેશમા કોવીડથી મૃત્યુદર ૧.૨૪ ટકા છે. જ્યારે રીકવરી રેટ ૮૯ ટકા છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા ક્રમે છે.
Read About Weather here
છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રથી ૬૧૬૯૫ કેસ સામે આવ્યા છે. ભારત કોવીડ સંક્રમણનું નવુ હોટસ્પોટ બની રહૃાુ છે. દેશમાં દર ૧૦૦માંથી ૧૩ લોકો પોઝીટીવ નિકળી રહૃાા છે. માર્ચમા આ આંકડો માત્ર ૩નો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here