સુપ્રીમ કોર્ટના મુખ્યન્યાયાધીશ એનવી રમન્ના અને ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ તેમજ સૂર્યકાંતની બેંચે કહૃાું કે આ મામલે એક વિસ્તૃત આદૃેશ જારી કરવામાં આવશે. સાથે એવી પણ સ્પષ્ટતા કરી કે અમે આવા મામલાઓમાં સીબીઆઇ કે ઇડી જેવી તપાસ એજન્સીઓ અંગે કોઇ આદૃેશ નહીં આપીએ ના તો કોઇ સલાહ આપીશું.
Visit Saurashtra Kranti Homepage here
કેમ કે તેનાથી આ એજન્સીઓ ના મનોબળ પર અસર થશે. જોકે આ એજન્સીઓએ એ સુનિશ્ર્ચિત કરવું જોઇએ કે તપાસ વધુ ઝડપથી પૂર્ણ થઇ જવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહૃાું કે આવા 200 જેટલા કેસો કોર્ટોમાં પેન્ડિંગ છે, સોરી મિસ્ટર તુષાર મહેતા પણ જે રિપોર્ટ સામે આવી રહૃાા છે તે આશ્ર્ચર્યજનક છે, ધારાસભ્યો અને સાંસદૃો સામેના કેસોમાં 10થી 15 વર્ષ વીતી ગયા હોવા છતા ચાર્જશીટ દૃાખલ નથી કરવામાં આવી.
આવા કેસોમાં માત્ર સંપત્તિઓ જપ્ત કરી લેવાથી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટમાં અશ્ર્વિની ઉપાધ્યાય દ્વારા એક જાહેર હિતની અરજી થઇ છે જેમાં જો કોઇ સાંસદૃ કે ધારાસભ્ય તેમની વિરુદ્ધના કેસોમાં દૃોષીત ઠરે તો તેમને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. સાથે જ આવા કેસોનો ઝડપી નિકાલ કરવાની પણ માગણી કરવામાં આવી છે.
Read About Weather here
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કહૃાું હતું કે દ્વેષપૂર્ણ કેસોને પરત લેવાના સરકાર પાસે અધિકાર છે અને કોર્ટ તેના વિરુદ્ધમાં નથી. જોકે જે રાજ્યોના કેસ હોય ત્યાંની હાઇકોર્ટ દ્વારા તેની ચકાસણી થવી જોઇએ. સાંસદૃો અને ધારાસભ્યોની સામે જે આપરાધીક કેસો પેન્ડિંગ છે તેના નિકાલમાં થઇ રહેલા વિલંબને લઇને પણ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્રને યોગ્ય મદૃદૃ કરવા પણ કહૃાું છે. (3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here