દર્શનાર્થીઓએ 72 કલાક પહેલાનો RT-PCR નેગેટીવનો રીપોર્ટ રજુ કરવો પડશે
કરણી મંદિર પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનાર્થીઓ માટે સરકારની ગાઈડલાઈન મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રણ્યાસ પ્રમુખ ગીરીરાજસિંહ બારઠે જણાવ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓએ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલ માર્ગદર્શિકાનું સચોટ રીતે પાલન કરવું જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
આથી દરેક મુસાફરો અને દર્શનાર્થીઓને વિશેષ સુચના છે કે, રાજ્ય સરકારના નિયમાનુસાર આજથી મંદિર સવારે 5 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, દરેક દર્શનાર્થીઓએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝરથી હાથ સ્વચ્છ કરીને પછી જ મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા દર્શનાર્થીઓએ 72 કલાક પહેલા આરટી-પીસીઆર નેગેટીવ રીપોર્ટ રજુ કરવાનો રહેશે.
Read About Weather here
જેથી દરેક દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે, ઉપરોક્ત જણાવેલ દરેક બાબતોનું સચોટ રીતે પાલન કરવું. જેના પરિણામે અન્ય કોઇપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here