ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો, જેમાં આરોપી બલવીરભાઈ હરનારાયણ આહીરવાલ તેમજ અન્ય એક આરોપીની ધરપકડ થયેલી. ગુનામાં ચાર્જશીટ રજુ થઈ ગયા પછી આરોપી બલવીરે સેસન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજુર થયેલી. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ. જે ચાલી જતા હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવાનો હુકમ કરેલો.
આ ગુન્હામાં 20 કીલો ગાંજા સાથે આરોપી પકડાયેલ, આરોપીનો રોલ અને કેસની હકીકત તેમજ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના અન્ય ચુકાદાઓ ધ્યાને લઈ હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવેલા. આ કેસમાં આરોપી તરફે વિઠ્ઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસ, ના વકીલ ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, લવજી ભજગોતર, વિજય વણઝારા, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, ભાવેશ જેઠવા, પી. બી. જેઠવા, એમ. એમ. રાઠોડ તેમજ મદદનીશ તરીકે કિશન ભીમાણી, જેનીલ ચૌહાણ, સુરેશભાઈ કરકર, આર. કે. દેત્રોજા, એસ.સી.વિઠ્ઠલાપરા, એચ.એસ. વિઠ્ઠલાપરા રોકાયેલ હતા.