માહિતી ખાતાના વર્ગ 1-2 અને 3 ની મુખ્ય પરીક્ષા માટે આગામી તા.23 થી 27 સુધી તાલીમ વર્ગો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા રાજય સરકારના માહિતી ખાતાની ભરતી માટેની મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને વિધાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુ સરવિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજયના માહિતી ખાતામાં વર્ગ 1-2 અને 3 માટેની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટેની પ્રીલીમનરી પરીક્ષા તાજેતરમાં જ પૂર્ણ થઇ અને એમાં પાસ થયેલા વિધાર્થીઓએ હવે મુખ્ય પરીક્ષા આપવાની છે.
આ પરીક્ષાને ધ્યાને રાખીને પત્રકારત્વ ભવન દ્વારા પરીક્ષાર્થીઓ માટે ખાસ કલાસનું આયોજન કર્યું છે. તા. ૨૩ થી ૨૭ સુધી બપોરે ૧૨ વાગ્યાથી પત્રકારત્વ ભવનમાં શરુ કરવામાં આવશે.
આ પરીક્ષા માટે માહિતી ખાતાના અધિકારીઓ તેમજ પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો તાલીમ આપશે. આ કલાસમાં જોડાવવા માંગતા વિધાર્થીઓએ આગામી તા. ૨૧ સુધીમાં સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં પોતાના નામ પત્રકારત્વ ભવનમાં નોંધાવાના રહેશે.
Read About Weather here
કોરોનાની સંપૂર્ણ ગાઇડલાઇનના પાલન સાથે કલાસનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here