તમે દરેક પોતાની જાતને એક સવાલ પુછો, પાર્કિન્સન રોગ એટલે શું? અત્યારે દુનિયામાં જયારે જ્ઞાન એ શકિત છે ત્યારે આ સવાલનો જવાબતો સરળતાથી ખબર હોવી જોઈએ પણ આશ્ર્ચર્ય થશે કે જવાબમાં ખાલી હાથની પુજારી જ આવશે પાર્કિન્સન રોગ ધુજારીથી ઘણું વધારે છે.11મી એપ્રિલએ ઉજવવામાં આવતો વિશ્ર્વ પાર્કિન્સન રોગ વિષેની જાગૃતિ ફેલાવવા માટેની તક આપે છે. સમજણ અને સમર્થન આ બંને પાર્કિન્સન રોગની જાગૃતિ વધારવા માટે સૌથી અગત્યના પરિબળો છે. સમજણ અને સમર્થન છે.
પાર્કિન્સના દર્દીઓ અને તેમના પરિવારજન માટે નિ:શુલ્ક સેવા (બળવંત કે પારેખ પાર્કિન્સનસ ડિસીઝ એન્ડ મુવર્મન્ટ ડિસઓર્ડર સોસાયટી) આપે છે. જેમાં નિષ્ણાંતો દ્વારા ફિઝિઓ થેરાપી સ્પીચ થેરાપી, કોગ્નિટટીવ થેરાપી એકયુપ્રેશનલ થેરાપી સાયકોલોજિકલ કાઉન્સેલિંગ આહારને પોષણ તેમજ આર્ટ ક્રાફટ અને ડાન્સના સેશનો દર્દીને ગ્રુપ થેરાપી અપાય છે.રાજકોટ ખાતે છેલ્લા 9 વર્ષથી સર લાખાજીરાજ લાઈબ્રેરીખાતે ફી સેવા દરશનિવારે સાંજે 4-6 વાગ્યે ગ્રુપ થેરાપી દ્વારા કંપવા દર્દી અને તેમના સગાવ્હાલાને ડોકટરોની મદદ વડે થેરાપી અને માર્ગદર્શન આપવામાં આવે છે. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ફિઝીઓથેરાપીસ્ટ ડો.નમ્રતા ચાવડા 8320645080 આ દિવસની ઉજવણી માટે દર્દી ડાંસ કરી ઉજવશે સાથે જાણીતા ડો.સારિકા પાટીલ આહારના પોષણના નિષ્ણાંત અને ન્યુરોફિઈઓથેરપિસ્ટ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ રાખેલ છે.