Subscribe Saurashtra Kranti here.
રાવરપોરામાં અફઘાની યુવકોને આતંકી સંગઠનમાં સામેલ કરતો હતો
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં રાવરપોરા વિસ્તારમાં ૩ દિવસથી ચાલતા એક્ધાઉન્ટરમાં સેનાએ સોમવારે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સજ્જાદ અફઘાનીને ઠાર કર્યો છે. અફઘાની યુવકોને આતંકી સંગઠનમાં સામેલ કરતો હતો. સેનાએ ૧૩ માર્ચથી શરૂ થયેલા ઓપરેશનના બીજા દિવસે એટલે કે રવિવારે એક આતંકીને ઠાર કર્યો હતો. કાશ્મીર GPએ આનો ખુલાસો કર્યો છે.
રવિવારે ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખ લશકર-એ-તોઈબા સાથે જોડાયેલા જહાંગીર અહમદ વાણી તરીકે કરવામાં આવી ચે. તે શોપિયાના રાખ નારાપોરા એરિયામાં રહેતો હતો. જહાંગીર ગયા વર્ષે સપ્ટેમ્બરથી એક્ટિવ હતો. અથડામણ વાળી જગ્યાથી USA મેડ M4 કાર્બાઈન રાઈફલ પણ મળી હતી. આ રાઈફલનો ઉપયોગ અમેરિકન સેના પણ કરતી હતી.
આ પહેલાં બારામુલામાં શનિવારે (૧૩ માર્ચે) આતંકીઓએ પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ઉત્તરી કાશ્મીરમાં સોપોર બસસ્ટેન્ડ પાસે થયેલા આતંકી હુમલામાં આતંકીઓ નિશાન ચૂકી ગયા હતા. હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.
Read About Weather here
૧૧ માર્ચે અનંતનાગમાં ૧૮ કલાક ચાલેલી અથડામણમાં જૈશના બે આતંકી ઠાર કરવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલા આતંકીઓ પાસેથી એકે ૪૭ રાઈફલ, પિસ્તોલ, ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે.
૯ માર્ચે ઉત્તરી કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આતંકી સંગઠન અલ-બદ્રના ચીફ અબ્દૃુલ ગની ખ્વાજાને ઠાર કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here