એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું પુરૂ કરવા આદેેશ
એપ્રોચ રોડ બનાવી નાખવા એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ
રાજકોટ-અમદૃાવાદૃ હાઈ-વે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા આ એરપોર્ટના રન-વેનું કામ હજુ 65 ટકા જેટલું પાર પડયું છે, બોક્સ કલવર્ટ મુજબનું કામ પૂર્ણ થવું બાકી છે અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું તો એક- દૃોઢ મહિના પહેલાં જ શરૂ થયું હોવાથી માત્ર બે- ત્રણ ટકા કામ જ થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
એવામાં ડેડલાઈન વહેલી કરી દૃેવામાં અવ્યાનું વિશ્ર્વસ્ત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્યારસુધીની ધારણા એવી હતી કે રન-વેનું કામ પૂર્ણ થયે ઓગસ્ટ- 2022માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેક-ઓફ કરાવવું, ડિસેમ્બર 2022માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરી દૃેવો અને માર્ચ 2023માં એરપોર્ટ કાર્યરત કરી દૃેવું,
પરંતુ હવે કેન્દ્ર સરકારે આઝાદૃીના 75મા વર્ષે જ આ એરપોર્ટનું લોકાર્પણ કરી દૃેવાનું નક્કી કરીને ડિસેમ્બર 2022ને બદૃલે ઓગસ્ટ 2022 સુધીમાં કામ નીપટાવી લેવા જણાવ્યું છે. સંબંધિત તંત્ર હવે આઠ-નવ મહિના જ હાથ પર હોવાનું માનીને આગળ વધી રહૃાું હોવાના નિર્દૃેશ મળી રહૃાા છે.
હીરાસર ખાતે સાવ વેરાન જમીન પર પાયેથી જ સંપૂર્ણ નવું (ગ્રીનફિલ્ડ) એરપોર્ટ બનાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે શરૂઆતથી જ નાના- મોટા અનેક પડકારો આવતા રહૃાા છે. હજુ હીરાસર ગામનું પુન: સ્થાપન પૂરેપૂરું પાર પડયું નથી,
ડોસલીઘૂના આસપાસ કેટલીક જમીનની લેવડ-દૃેવડ અટવાયેલી છે, જે પછી એરપોર્ટને હાઈ-વે સાથે જોડતો લાય-ઓવર સહિતનો એપ્રોચ રોડ પણ બનાવાનો છે. આ તમામ કામમાં હવે ઝડપ લાવવી પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે ટર્મિનલ બિલ્ડિંગ બનવાને વાર લાગે એમ છે, એટલે હાલ જર્મન ડોમ જેવું કામચલાઉ ટર્મિનલ બનાવી નખાશે. હાઈ-વે ઓથોરિટી ટૂંક સમયમાં જ સર્વિસ રોડ બનાવવાનું શરૂ કરી દૃેશે, જ્યારે એપ્રોચ રોડ બનાવી નાખવા એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ છે.
અગાઉ ઓગસ્ટ 2022માં રન- વેની ટ્રાયલ લેવાની હતી, પરંતુ હવે નક્કી થયા મુજબ એ પહેલાં જ પ્લેન લોન્ચ કરાવડાવી દૃેવાશે, કેમ કે હવે બોક્સ કલવર્ટને લગતું 400 મીટર સહિત રન-વેનું કુલ 500 મીટર જેટલું જ કામ બાકી છેરાજકોટના
બે મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકી ગુજરાતની પહેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ) કાર્યરત થતાં હજુ એક-દૃોઢ વર્ષની વાર લાગે એમ છે, ત્યારે બીજા પ્રોજેક્ટ એવા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ રાષ્ટ્રની આઝાદૃીના 75મા વર્ષે જ કરી
Read About Weather here
શકાય એ માટે એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું આટોપી લેવાના આદૃેશ છૂટયા છે. 2022 ના ઓગસ્ટ માસમાં મોટે ભાગે વડાપ્રધાનના હસ્તે જ ઉદ્ઘાટન કરાવવા તજવીજ શરૂ થઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here