ભૂખ તરસથી વલખા મારતા પ્રાણીઓ…

ભૂખ તરસથી વલખા મારતા પ્રાણીઓ…
ભૂખ તરસથી વલખા મારતા પ્રાણીઓ…

કેન્યા ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.

 દેશમાં ભયંકર દુષ્કાળની અસર ત્યાંનાં પશુ-પંખી અને પ્રાણીઓ પર પણ પડી છે. આ દરમિયાન ભૂખ અને તરસથી વલખાં મારતા મોતને ભેટેલા જિરાફોની કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે.

આ દરમિયાન તેઓ કાદવના ફસાઈ ગયા હતા અને તમામ જિરાફો મોતને ભેટ્યા હતા. બાદમાં ત્યાંથી જિરાફના મૃતદેહોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી આ તસવીરો લેવામાં આવી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ઈન્ટરનેટ પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે એ કેન્યાના ઉત્તર-પૂર્વીય શહેર વઝીરમાં સાબુલી વન્યજીવ અભયારણ્યની અંદર છ જિરાફ મૃત હાલતમાં પડેલા છે.

આ તસવીર ભૂખ અને તરસથી વલખાં મારી રહેલા જિરાફોનાં મોતને ભેટ્યા બાદની છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિરાફ નજીકમાં સુકાયેલા જળાશયમાં પાણી પીવાના પ્રયાસ કરી રહ્યા હતા.

Read About Weather here

જળાશયના પાણીને દૂષિત થતું અટકાવવા માટે આ મૃત પડેલા જિરાફોને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here