ભાવનગરમાં મીઠાના અગરમાં એક લાખના કેબલની ચોરી

ભાવનગરમાં મીઠાના અગરમાં એક લાખના કેબલની ચોરી
ભાવનગરમાં મીઠાના અગરમાં એક લાખના કેબલની ચોરી

ભાવનગર નજીક સવાઇનગર ખાતે આવેલા શ્રીરામ સોલ્‍ટના મેનેજર ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એડમીરલ સોલ્‍ટ પ્રા.લી. (અગર) ૩૦૦૦ એકરમાં ફેલાયેલું છે અને તેમાં ૫૦થી વધુ બોરવેલ આવેલા છે અને તેમાંથી પાણી કાઢી મીઠુ પકવવામાં આવે છે.  રાત્રે ૧૧ વાગ્‍યા સુધી મોટાભાગના બોરવેલ ચાલુ હતુ પરંતુ વહેલી સવારે ૨૫ જેટલા બોરવેલ બંધ હોવાનું જોવા મળ્‍યું હતું.

અગરમાં સિકયુરીટી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ તપાસ કરતા રાતના સમયે તસ્‍કરોએ બોરવેલ માટેના કેબલ કાપી નાંખી કેબલની ચોરી કરી હોવાની જાણ થતા તેમણે બનાવની જાણ મેનેજરને કરી હતી. તપાસમાં તસ્‍કરો અંદાજે ૨૫૦ મીટર લંબાઇના રૂા.૧ લાખની કિંમતના કેબલની ચોરી કરી ગયા હોવાનું જણાતા આ બનાવ અંગે મેનેજરની ફરિયાદ લઇને વેળાવદર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.