રાજકોટ: અમદાવાદની ચોંકાવનારી ઘટના અંગે મળતી વિગતો મુજબ અનમોલ નામના એન્જિનિયરની કોરોનામાં નોકરી છૂટી ગઈ હતી. આટલું ઓછું હોય તેમ તેના પિતાનું પણ અવસાન થતાં એન્જિનિયર અનમોલ ઉપર પરિવારની જવાબદારી આવી પડી હતી જેથી તેણે સાઈકલ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. અનમોલ પાસેથી મળી આવેલી મોટાભાગની સાઈકલોની કિંમત 20 હજારથી વધુની હોવાનું પોલીસે જણાવ્યું છે. એન્જિનિયર અનમોલ આ સાઈકલને ચોરીને આર્મી કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં વેચી નાખતો હોવાનું જાણવા મળી રહ્યું છે. એન્જિનિયર ચોરાઉ સાઈકલને વેચતી વખતે તે એવું કહેતો હતો કે તેની પાસે સાઈકલનું ગોડાઉન હોવાને કારણે તેને સસ્તા ભાવે સાઈકલ મળી રહી છે અને એટલા માટે જ તે ઓછી કિંમતે સાઈકલનું વેચાણ કરી રહ્યો છે.
Home Latest