બાઇક સ્‍લીપ થતાં ઉદેસંગ ચાવડાનું મોત

બાઇક સ્‍લીપ થતાં ઉદેસંગ ચાવડાનું મોત
બાઇક સ્‍લીપ થતાં ઉદેસંગ ચાવડાનું મોત

બાટવા નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં માણાવદરના કોયલાણા (ઘેડ) ગામના વૃધ્‍ધ પતિ-પત્‍નિને ઇજા થઇ હતી. જેમાંથી પતિનું રાજકોટમાં મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કોયલાણા રહેતાં ઉદેસંગ જોરૂભા ચાવડા (ઉ.વ.૬૦) ગયા શુક્રવારે પોતાના પત્‍નિ ક્રિષ્‍નાબાને ટુવ્‍હીલરમા બેસાડી બાટવા સગાના ઘરે બેસવા આવ્‍યા હતાં. ત્‍યાંથી પરત કોયલાણા જતાં હતાં ત્‍યારે બાટવા નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં બંનેને ઇજાઓ થતાં જુનાગઢ હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. ત્‍યાંથી ઉદેસંગ ચાવડાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને કેતનભાઇ નિકોલાએ માણાવદર પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર કરીયાણાની દૂકાન ચલાવતાં હતાં. તેઓ બે બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે.