શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી. આર. ગોઢાણીયા આઈ. ટી. કોલેજના અધ્યાપક શ્રી નિરવ દત્તાણીએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના ભૂતપૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. ગિરીશ ભીમાણીના માર્ગદર્શન હેઠળ ફોર કાસ્ટીંગ વિષય પર સંશોધન કરી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા પીએચ. ડી ની પદવી પ્રાપ્ત કરેલ છે.
તેમના પીએચ.ડી. ના વિષયમાં તો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જે અત્યારના સમયની જરૂરિયાત છે, અત્યારે દરેક ડિવાઇસ સ્માર્ટ ડિવાઇસ થતી જાય છે ઉદાહરણ તરીકે ઘર માં ઉપયોગ માં લેવાતા પંખા, ટયૂબલાઇટ, હાથ માં પહેરવામાં આવતી સ્માર્ટ વોચ, એરકંડિસન કે જે અત્યારે માર્કેટમાં છે. એ ડિવાઇસ ને ઇન્ટરનેટ અને સેન્સર નો ઉપયોગ કરી ઉપયોગ કરવામાં જે સમય લાગે છે. એ સમય માં ઘટાડો કરી ને સ્પીડ વધારી ને વધુ સ્પીડ માં કનેક્ટ થઈ શકે તે વિષય પર સંશોધન કરેલ.
ગોઢાણીયા સંકૂલના ટ્રસ્ટના ઙ્કમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયા, ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટીશ્રી ભરતભાઇ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઇ વીસાણા, એક્ટિવ ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા, ગોઢાણીયા આઈ. ટી. કોલેજ ના અધ્યક્ષ ડો. ધવલભાઈ ખેર જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા સહિત આઈ. ટી. કોલેજ પરિવાર તેમજ સંકૂલ પરિવારે કોલેજનું ગૌરવ વધારવા બદલ અધ્યાપક નિરવ દતાણીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.