પેરિસની એક બિલ્ડિંગમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, ત્રણના મોત, બચાવ કામગીરી ચાલુ

પેરિસની એક બિલ્ડિંગમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, ત્રણના મોત, બચાવ કામગીરી ચાલુ
પેરિસની એક બિલ્ડિંગમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, ત્રણના મોત, બચાવ કામગીરી ચાલુ

ફ્રાન્સના પેરિસમાં રવિવારે સાંજે આઠ માળની ઈમારતમાં વિસ્ફોટને પગલે લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઇમારત પેરિસના 11મા એરોન્ડિસમેન્ટમાં સ્થિત છે.

પેરિસમાં બહુમાળી ઈમારતમાં મોડીરાતે વિસ્ફોટ થયો હતો. જે બાદ ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રાથમિક માહિતી અનુસાર, રુએ ડે ચારોન પર એક ઈમારતના 7માં માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પેરિસમાં બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નિકળતા તેમાં દઝાવાથી ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી પોલીસ તે અંગે તપાસ કરી રહી છે. આ સાથે બિલ્ડિંગમાં બચાવ કામગીરી ચાલુ છે. આ ઈમારત પેરિસના 11માં એરોન્ડિસમેન્ટમાં આવેલી છે અને પ્રાથમિક માહિતી અનુસાર, રુએ ડે ચારોન પર એક ઈમારતના 7મા માળે આગ ફાટી નીકળતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, જે મામલે પોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.

11મી એરોન્ડિસમેન્ટના ડેપ્યુટી મેયર લ્યુક લેબોને લે પેરિસિયનને કહ્યું કે પાડોશીઓ જાણતા નથી કે વિસ્ફોટનું કારણ શું છે, કારણ કે બિલ્ડિંગમાં કોઈ ગેસ ન હતો. જો કે બિલ્ડિંગના રહેવાસીઓના ઇનકાર છતાં સત્તાવાળાઓએ ગેસના નિશાન હોવાથી ઇનકાર કર્યો નથી.

ફ્રાન્સના પેરિસમાં રવિવારે સાંજે આઠ માળની ઈમારતમાં વિસ્ફોટને પગલે લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઇમારત પેરિસના 11મા એરોન્ડિસમેન્ટમાં સ્થિત છે

થોડા વર્ષોમાં આ ત્રીજી વખત છે જ્યારે રાજધાનીમાં કોઈ બિલ્ડિંગની અંદર વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા છે. લે પેરિસિયન અનુસાર, 12 જાન્યુઆરી 2019ના રોજ, રુ ડી ટ્રેવિસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.  ગયા વર્ષે 21 જૂન, 2023 ના રોજ  277 રુ સેન્ટ-જેક્સની ઇમારતમાં વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.