પરિણીત મહિલાનું શંકાસ્‍પદ મોત…?

પરિણીત મહિલાનું શંકાસ્‍પદ મોત...?
પરિણીત મહિલાનું શંકાસ્‍પદ મોત...?

સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનાં રામપરા ગામે પરણિત મહિલાનું શંકાસ્‍પદ મોત નિપજતાં ચકચાર મચી જવા પામી અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્‍યો.

વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્‍દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે રહેતી ઉષાબેનને વઢવાણ તાલુકાના રામપરા ગામે પરણાવી હતી જેઓને વારંવાર સાસરીયા પક્ષ દ્વારા ઉષાબેન સાથે મારકુટ ઝઘડા સહિત માનસિક ત્રાસ આપતાં હોવાનું મળતક દીકરીનાં પરિવારજનોએ આક્ષેપ કર્યા છે અને અમારી દીકરીને મારી નાખવામાં આવી છે એટલે અમને ન્‍યાય નહીં મળે ત્‍યાં મળતક ઉષાબેનની ડેડબોડી સ્‍વિકાર કરશું નહીં તેવી પરિવારનાં સભ્‍યોએ ચિમકી ઉચ્‍ચારી છે અમારી દીકરીએ આત્‍મહત્‍યા નહીં પણ હત્‍યા થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્‍યું ત્‍યારે આ શંકાસ્‍પદ મહિલાનાં મોતનાં પગલે ઘટનાસ્‍થળે અને ગાંધી હોસ્‍પિટલ ખાતે પોલીસ કાફલો દોડી ગયો હતો તેમજ મળતક ઉષાબેનનું પીએમ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી હાલ તો આ મળતક મહિલાનો પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે પરણિત મહિલાની હત્‍યા થઈ છે કે આત્‍મહત્‍યા ?