જૂના રોગોની સારવાર માટે ત્રણ વર્ષથી વધુ રાહ જોવી નહીં પડે:મેડીકલેઈમમાં નવા નિયમો લાગૂ

જૂના રોગોની સારવાર માટે ત્રણ વર્ષથી વધુ રાહ જોવી નહીં પડે:મેડીકલેઈમમાં નવા નિયમો લાગૂ
જૂના રોગોની સારવાર માટે ત્રણ વર્ષથી વધુ રાહ જોવી નહીં પડે:મેડીકલેઈમમાં નવા નિયમો લાગૂ

સ્વાસ્થ્ય વીમામાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. આ હેઠળ, પોલિસીધારકોને લાંબા સમયથી ચાલતા રોગોની સારવાર માટે 36 મહિનાથી વધુ રાહ જોવી પડશે નહીં. અગાઉ આ રોગોની સારવાર માટે રાહ જોવાનો સમયગાળો 48 મહિનાનો હતો. આ નિયમ 1 એપ્રિલ, 2024 થી લાગુ કરાયો છે. 

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI) એ તાજેતરના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગ (ઙઊઉ)ની તપાસ આરોગ્ય વીમા કંપની દ્વારા જારી કરવામાં આવેલી પોલિસીની શરૂઆતની તારીખના 36 મહિના પહેલાં અથવા તે મુજબ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. તબીબી સલાહ અથવા જો સારવારની ભલામણ કરવામાં આવે, તો આવા કિસ્સાઓમાં રાહ જોવાનો સમયગાળો 36 મહિનાથી વધુ નહીં હોય.

IRDAI મુજબ, આરોગ્ય વીમા પોલિસીની શરૂઆતથી 36 મહિના સુધીના સમયગાળા દરમિયાન ઉલ્લેખિત રોગો અથવા સારવાર (અકસ્માતને કારણે થતા રોગો સિવાય) આવરી લેવામાં આવતા નથી. આ રોગો/સારવારો સમયગાળો પૂરો થવા પર આવરી લેવામાં આવે છે.

વીમા કંપનીએ હઠીલા રોગોની માહિતી આપવી પડશે ઈંજઉઅ એ સ્પષ્ટ કહ્યું છે કે પોલિસી ખરીદતી વખતે ખરીદદારોએ વીમા કંપનીને ક્રોનિક રોગો વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. આ આધારે, વીમા કંપનીઓ સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનોમાં પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો માટે રાહ જોવાનો સમયગાળો અને ચોક્કસ રાહ જોવાનો સમયગાળો ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, આ નિયમ વિદેશ પ્રવાસ નીતિઓ પર લાગુ થશે નહીં.

વીમા કંપનીઓએ સમજવામાં સરળ પ્રોડક્ટ્સ ઓફર કરવાની જરૂર છે જે પોલિસીધારક સમજી શકે. તેમના શબ્દો, કવરેજ અને શરતોમાં પારદર્શિતા અને સ્પષ્ટતા હોવી જોઈએ. પોલિસીધારકોના હિતોનું રક્ષણ કરવું જોઈએ. ઉત્પાદનો સાથે સંકળાયેલા તમામ જોખમોને કિંમતમાં યોગ્ય રીતે ધ્યાનમાં લેવા જોઈએ.