જુનાગઢ જિલ્લામાં ત્રણ સગીરાનાં અપહરણ

જુનાગઢ જિલ્લામાં ત્રણ સગીરાનાં અપહરણ
જુનાગઢ જિલ્લામાં ત્રણ સગીરાનાં અપહરણ

 મુળ કોડીનારના બાવાના પીપળીયા ગામના રહીશ હાલ જુનાગઢ આદિત્યનગરમાં રહેતી ફરીયાદી મીનાબેન માનસીંગભાઈ સોસા (ઉ.37)ની દિકરી જેનીસ ઉ.વ.17 વર્ષ 9 માસ વાળીની સગાઈ ઉપલેટાના મજેઠી ગામે થયેલ હોય જેને આરોપી રોહિત અરજણ ચૌહાણ રે. મજેઠી વાળો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ગત તા.14-4-2024ની રાત્રીના જુનાગઢ મધુરમ આદિત્યનગર ખાતેથી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ સી ડીવીઝન પોલીસમાં નોંધાવતા પીએસઆઈ આર.પી. વણઝારાએ તપાસ હાથ 
ધરી છે.

 વિસાવદરના કાલસારી ગામે રહેતા શખ્સની 16 વર્ષની સગીરાને વિસાવદરના વાણંદીયા ગામનો રહીશ શાહરૂક શેખીયા ગત તા.16-4ની સાંજે અપહરણ કરી લઈ ગયાની વિસાવદર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

 વિસાવદરના વિછાવડ ગામે રહેતા શખ્સની દિકરી ઉ.17 વાળીને વિસાવદરના માણંદીયા ગામનો શાહરૂક શેખીયા ગત તા.16/4ની રાત્રીના અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા બન્ને સગીરા અપહરણની તપાસ વિસાવદર પીએસઆઈ આર.બી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.