કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામે અનોખા ગૌ પ્રેમે કરુણા સાથે સંવેદનાના દર્શન કરાવ્યા હતા.
વીરાજી રાજપૂતના ઘેર પાલતુ ગાય ગંગાનું દુઃખદ નિધન થતાં સંતો, મહંતો અને સ્નેહીજનો ની હાજરીમાં પરિવારે સ્મશાન યાત્રા કાઢી ગૌ માતાને ભાવ પૂર્વક સમાધિ આપી હતી. વીરાજી રાજપૂત અને તેમના પત્ની કાશીબાએ ગંગા ગાયને સંતાનની જેમ વ્હાલ પૂર્વક ઉછેરી હતી. ગંગાનું પૂછડું જમીનને અડતું હતું.
ગંગા ગાય દરરોજ વહેલી સવારે સૂર્ય પૂજન કરી બીલીપત્ર ની પ્રદક્ષિણા કરતી હતી. અંતિમ વિધિ બાદ રાત્રે ભજન કીર્તન, સ્વાધ્યાય, વિષ્ણુ શાષાના પાઠ તેમ જ હનુમાન ચાલીસા સહિતની ધાર્મિક વિધિ કરાઇ હતી.