એનઆઈએ અધિકારીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા: એફઆઈઆર રદ્દ કરાવવા માંગ

એનઆઈએ અધિકારીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા: એફઆઈઆર રદ્દ કરાવવા માંગ
એનઆઈએ અધિકારીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા: એફઆઈઆર રદ્દ કરાવવા માંગ

તાજેતરમાં એનઆઈએની ટીમ પર થયેલા હુમલામાં ઘાયલ એનઆઈએ અધિકારીઓને પોલીસે પૂછપરછ માટે સમન્સ મોકલતા એનઆઈએ અધિકારીઓએ એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટમાં ધા નાખી છે.

 આ અંગેની વિગત મુજબ એનઆઈએની ટીમ પર થયેલા હુમલામાં ઘાયલ અધિકારીઓને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ મોકલ્યું હતું. ઘાયલ અધિકારીઓને પોતાના મેડિકલ દસ્તાવેજ પણ સાથે લાવવાનું કહેવામાં આવ્યું છે અને ક્ષતિગ્રસ્ત કાર લઈને આવવાનું પણ કહ્યું હતું.

પોલીસ કારની ફોરેન્સિક તપાસ કરાવશે. બીજી બાજુ બંગાળ પોલીસની આ એફઆઈઆર સામે એનઆઈએના અધિકારીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા છે અને એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે.