હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઇ છનાભાઇ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રીને એક વર્ષ અગાઉ કચ્છનો કમલેશ ગોસાઇ નામનો શખ્સ ભગાડી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
છતાં હજી સુધી તેની પત્નીનો કોઇ પત્તો ના લાગતા સોમવારે બપોરેના અરસામાં તેઓ પોતાની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે પાટણ એસપી કચેરી સંકુલમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં રેવાભાઇ પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ
કરતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા બે દિવસ ગંભીર હાલતમાં આઇસીયુમાં સારવાર ચાલતી હતી. પરંતુ બુધવારે વધુ સારવાર માટે પિતા સહિત ૪ બાળકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
જેમાં ૨ અમદાવાદ એપોલો હોસ્પિટલમાં અને ૩ લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક માસુમની લાશને અંતિમવિધિ માટે પોતાના માદરે વતન ખાખલ ગામે લાવવામાં આવતા પરિવારના સગા સંબંધી અને સ્નેહિજનોમાં ઘેરા શોકની કાલીમાં છવાઇ જવા પામી હતી.
Read About Weather here
પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પરિવારની ૧૨ વર્ષની દીકરી ભાનુબેન પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની હાલત પણ નાજુક છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here