ઇટ્રાખાતે મહિલાઓને લગતી સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિર

ઇટ્રાખાતે મહિલાઓને લગતી સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિર
ઇટ્રાખાતે મહિલાઓને લગતી સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિર

આઇ.ટી.આર.એ. જામનગર સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે યોગ’ વિષયવસ્તુ પર આધારિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિરનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે

આ શિબિરમાં નામ નોંધાવા અને ભાગ લેવા માટે કેમ્પના દિવસે સ્વસ્થવૃત્ત વિભાગ, ડો. પી.એમ મહેતા રોડ (ચિડિયાખાના રોડ) હનુમાન ગેઇટ પોલિસ ચોકી પાસે જામનગર, સમય: સવારે 9 થી 12 તેમજ સ્વસ્થવૃત્ત વિભાગ શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ ભવન આઇ.ટી.આર.એ. જામનગર ખાતે સાંજે 5 થી 6 દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ યોગ શિબિરનો લાભ લેવા આઇ.ટી.આર.એ.ના નિયામકશ્રી પ્રો. વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા યાદીમાં જણાવવામાં આવે છે કે આ યોગાભ્યાસ શિબિર માં તા. 19-04-2024 માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ તા. 26-04-2024 સગર્ભાવસ્થા દરમિયાન યોગાભ્યાસ,તા. 03-05-2024 “રજોનિવૃ તિ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ, છે.