આર્થિક સંકળામણમાં આવી જતા યુવાનનો આપધાત.

આર્થિક સંકળામણમાં આવી જતા યુવાનનો આપધાત.
આર્થિક સંકળામણમાં આવી જતા યુવાનનો આપધાત.

મોરબીના ઘૂટું ગામની સીમમાં આલ્ફા સિરામિક કારખાનામાં આર્થીક સંકળામણથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

     મોરબીના મહેન્દ્રનગર ગામે કાંતિજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા નીકુલ દિનેશભાઈ ઝાલારીયા (ઉ.૨૯) એ ઘૂટું ગામની સીમમાં આલ્ફા સિરામિકના કારખાનાની કેટીગના સિમેન્ટના પતરાના સેડની લોખંડની એન્ગલના હુક સાથે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી તો પોલીસની તપાસ દરમિયાન નીકુલને ઘણા સમયથી આર્થિક રીતે સંકળામણમાં આવી ગયેલ હોય જેથી છેલ્લા બે ત્રણ દિવસથી ગુમસુમ રહેતી હતો અને આર્થીક સંકળામણ બાબતે મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે તો બનાવ અંગે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના જે પી વસિયાણી ચલાવી રહ્યા છે