હનીમૂન કપલ
Subscribe Saurashtra Kranti here.
અમદાવાદનું એક નવપરણિત યુગલ આરટી–પીસીઆરનો ટેસ્ટ કરાવ્યો હોવા છતાં એરલાઈન્સની જડતાના કારણ દૃુબઈ ના જઈ શકતાં તેમની હનીમૂનનો પ્લાન ખોરવાઈ ગયો છે. એરલાઇન્સ કંપનીએ આરટી-પીસીઆર ટેસ્ટ માટે જરૂરી વધુમાં વધુ ૭૨ કલાકથી વધુ સમય થઈ ગયો હોવાનો મુદ્દો ઉભો કરીને તેમને દૃુબઈ નહોતા જવા દીધા. અમદાવાદના કેદાર પટેલ અને માનસી પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શુક્રવારે દૃુબઈની બપોરે દોઢ વાગ્યાની લાઈટ પકડવા નિકળ્યાં હતાં. એરપોર્ટ પર એરલાઇનના કાઉન્ટર પર તેમના લગેજનું ચેકિંગ કરીને ટેગ મારી લાઈટમાં રવાના કર્યું હતું. દૃુબઈ માટે ફરજિયાત આરટી–પીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ હતો પણ તેમાં ટેસ્ટના સમયનો ઉલ્લેખ ન હોવાથી એરલાઈન્સે સમયની જાણકારી માગી હતી.
હનીમૂન નવયુગલે તાત્કાલિક લેબોરેટરીમાં વાતચીત કરીને ફરીથી નવો રિપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટમા ૯ માર્ચે ૧૨.૩૦ કલાકે ટેસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. એરલાઇન્સ કંપનીએ આ ટેસ્ટ માન્ય નહી ગણવાનું કહીને તેમને દૃુબઈ મોકલવાની ના પાડી દીધી હતી. એરલાઇન કંપનીઓ જણાવ્યું કે, વધુમાં વધુ ૭૨ કલાક પહેલાંનો નેગેટિવ ટેસ્ટ જોઈએ પણ આ ૭૨ કલાક ૧૨.૩૦ વાગ્યે પૂરા થઈ ગયા છે અને લાઇટ દોઢ વાગ્યાની છે તેથી દૃુબઈના નિયમ મુજબ ફલાય નહીં કરી શકો.’
Read About Weather here
કપલે સ્ટાફને વિનંતી કરી હતી કે, અમે ૧૧ વાગ્યે એરપોર્ટ પર આવી ગયા છીએ તો અમને જવા દો પરંતુ એરલાઇન્સના અધિકારીઓ ટસના મસ થયા નહીં અને બંને કપલને ઓફલોડ કરી ઘરે રવાના કરી દીધા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here