Subscribe Saurashtra Kranti here.
સુરતમાં કોરોના સંક્રમણથી ચિંતા વધી ગઈ
કોરોના કેસોમાં વધારો થતાં સુરતમાં મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરતમા સાંજે ૭ વાગ્યાથી પાનના ગલ્લા,ચાની લારી બંધ કરાવાશે. સ્ટ્રીટ વેન્ડરોને પણ સાંજે ૭ વાગ્યે પાટીયા પાડી દેવા માટે સૂચના આપવામાં આવી છે. રાત્રે ૧૦ વાગ્યાથી સુરતમા રાત્રિ કર્ફ્યુંનો અમલ કરાવવામાં આવશે. ૯ વાગ્યાથી ખાણી-પીણી લારી, રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો છે. તો ભીડ થાય તો શાકભાજી માર્કેટ બંધ કરાવી દેવા આદેશ કરાયો છે.
Read About Weather here
સુરતમા કોરોના સંક્રમણથી ચિંતા વધી ગઈ છે. સુરતમા બીઆરટીએસ-સીટી બસ સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં થિયેટર, સિનેમા હોલ બંધ કરી દેવાયા છે. તો ગેમ ઝોન, સ્પોર્ટસ ક્લબ, જીમ બંધ રહેશે. એટલું જ નહીં પણ સુરતમા હોટલના બેક્ધવેટ હોલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંધની અસર હજારો લોકોને પડશે. અને વેપાર-ધંધા ફરીથી પડી ભાંગશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here