રાજકોટ મનપા દ્વારા નવનિર્માણ પામી રહેલ પાંચ ફલાયઓવર બ્રિજ માટે
મુખ્યમંત્રી અને મ્યુનિ. ફાયનાન્સ બોર્ડનો આભાર માનતા પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ ફલાય ઓવર બ્રિજ બની રહેલ છે. જેનું કામ હાલ ચાલી રહયું છે. તે બ્રિજનું કામ જલ્દીથી પૂર્ણ થાય અને શહેરીજનોને આવવા-જવા સહિત વાહન વ્યવહારને અડચણ રૂપ ન થાય તેમજ કામ વહેલી તકે પૂર્ણ કરવા ડો.પ્રદિપ ડવ, પદાધિકારીઓ અને મ્યુ.કમિશનરએ બ્રિજના સ્થળની મુલાકાત લઇ સબંધિત અધિકારીઓ-કોન્ટ્રાકટરને સુચના આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
પાંચ ફલાય ઓવરબ્રિજ માટે રાજય સરકાર દ્વારા રૂ.230 કરોડ મંજૂર કરેલ અને તેના 10 ટકા મુંજબ રૂ.2 કરોડ મહાનગરપાલિકાને ચૂકવી આપેલ. હાલ બ્રિજની કામગીરી ધ્યાને લઇને થયેલ ખર્ચ માટે રાજય સરકાર અને મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ.12 કરોડની ગ્રાન્ટ મંજુરીનો હુકમ કરવામાં આવેલ.
Read About Weather here
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક પરિવહન સરળદસલામત બને તે માટે ફલાય ઓવર બ્રિજ બનાવવા માટે વિશેષ જોગવાઇ કરવામાં આવેલ છે. ફલાય ઓવરબ્રિજની કામગીરી ધ્યાને લઇ થયેલ ખર્ચ માટે રાજય સરકાર અને મ્યુનિસિયલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ.12 કરોડની ગ્રાન્ટ મંજૂરીનો હુકમ કરવામાં આવતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્ક્ષિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડનો આભાર માન્યો છે.(1.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here