બાળકોની વેક્સિનના મહત્વના સમાચાર

બાળકોની વેક્સિનના મહત્વના સમાચાર
બાળકોની વેક્સિનના મહત્વના સમાચાર

ઓગસ્ટ મહિના સુધીમાં વેક્સિન આવવાની સંભાવના

૧૮ થી વધુ ઉંમરના લોકોને હાલ વેક્સિન અપાઈ રહી છે. વેક્સિન એ કોરોના સંક્રમિત થતાં અટકાવે છે.ઉપરાંત ઇમ્યુનિટી પણ વધારે છે. ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થવાની સંભાવના રહેલી છે.ત્યારે ૧૮ થી નીચેની ઉંમરના બાળકો માટે વેક્સિન નું પરીક્ષણ થઈ રહ્યું છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

ત્યારે બાળકોની વેક્સિનને લઇને મોટા સમાચાર આવ્યા છે.જેમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા એ જણાવ્યું કે, બાળકો માટેની વેક્સિન ઓગસ્ટ મહિના સુધીમાં આવવાની સંભાવના છે.ત્યારબાદ બાળકોમાં ઈમ્યુનીટી વધારવા બાળકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.