Subscribe Saurashtra Kranti here.
જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા જીરાના પાકમાં ખૂબ મોટું નુકસાન
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહૃાું છે. વારંવાર નુકસાનથી કંટાળેલા ખેડૂતો હવે પોતાના ખેતરમાં વાવેલા જીરાના પાકની હોળી કરી રહૃાા છે. એટલે કે હોળી આવે તે પહેલા જ ખેડૂતો હવે પાકની હોળી કરી રહૃાા છે. આ વર્ષે ચોમાસામાં જરૂર કરતા વધારે વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. હવે શિયાળું પાકોમાં વિવિધ રોગને કારણે નુકસાન થઈ રહૃાું છે.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો જીરાનું વાવેતર કરે છે. પરંતુ આ વખતે વાવ પંથકમાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા જીરાના પાકમાં ખૂબ મોટું નુકસાન થઈ રહૃાું છે. ખેડૂતો મોંઘુ બિયારણ અને ખાતર લાવી મહામહેનતે પાકનું વાવેતર કરતા હોય છે. પરંતુ વારંવાર નુકસાનન આવતા હવે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ દરમિયાન વાવ તાલુકાના બુકણા ગામમાં રહેતા ભાણાભાઈ મણવરે પણ તેમના ત્રણ એકર જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું. તેમના ખેતરમાં પણ ચરમી નામનો રોગ આપતાં જીરાના પાકનો સફાયો થઈ ગયો છે. નુકસાનથી કંટાળેલા ખેડૂતે ખેતરમાં વાવેલા જીરાના પાકનો ઢગલો કરીએ હોળી કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૫ દિવસ પહેલા પણ થરાદ તાલુકાના લેડાઉ ગામે પણ જીરાના પાકમાં નુકસાન થતાં ખેડૂતો પોતાના જ ખેતરમાં જીરાના પાકનો ઢગલો કરી હોળી કરી હતી. ખેડૂતો દિવસ-રાત મજૂરી કરી પાક તૈયાર કરતા હોય છે પરંતુ આટલી મહેનત બાદ પણ જ્યારે પાકમાં નુકસાન થાય છે તેઓ ભાંગી પડે છે. આ કારણે તેઓ પોતાના જ ખેતરમાં પાકની હોળી કરી સરકાર અને કુદરત સામે પોતાનો આક્રોશ ઠાલવતા હોય છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે જીરાના પાકમાં જ્યારે રોગ આવે છે ત્યારે ખેડૂતો પાસે પાકને ફેંકી દેવા કે સળગાવી દેવા સિવાય કોઈ વિકલ્પ વધતો નથી. કારણ કે જે થોડો ઘણો પાક તૈયાર થયો હતો તેને જો તૈયાર કરવામાં આવે તો ઉત્પાદન કરતા મજૂરી ખર્ચ વધી જાય છે. આથી ખેડૂતો પાકનો ઢગલો કરીને સળગાવી દે તા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here