Subscribe Saurashtra Kranti here.
ત્રણ પૈકીના એક કાયદાનો સંપુણ અમલ કરવા સંસદની સ્ટેન્ડીંગ કમિટિએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો
13 પક્ષોના સભ્ય ધરાવતી સ્ટેન્ડીંગ કમિટિનો અહેવાલ લોકસભામાં રજૂ
જે નવા ત્રણ કૃષિ કાયદા વિવાદા સ્પદ બન્યા છે અને ખેડૂત આંદોલનનું કારણ બન્યા છે એ ત્રન પૈકીના એક કાયદાનો સંપુણ અમલ કરવા સંસદની સ્ટેન્ડીંગ કમિટિએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે. જે કાયદાના અમલની ભલામણ કરી છે એ આવસ્યક ચીઝ વસ્તુઓ (સુધારા) કાયદો 2020 છે.
Read About Weather here
ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, શીવસેના, એનસીપી અને ‘આપ’ના 13 સભ્યો જેમાં છે એ અન્ન અને નાગરિક પુરવઠા સ્ટેન્ડીંગ કમિટિએ આજે લોકસભામાં અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં ત્રણ નવા કૃષિ કાયદા પૈકી આ એક કાયદાનો પુરેપુરો અમલ કરવા ભલામણ કરી હતી. ટીએમસીના સંદિપ બંદોઉપાધયાએ જણાવ્યું હતું કે, આ કાયદા એટલે કે આવશ્યક ચિઝ વસ્તુ ધારાનો અમલ કરવાથી કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણના દરવાજા ખુલશે અને જે અણ વપરાયેલા સાધનો અને ક્ષમતા છે તેનો પુરેપુરો ઉપયોગ કરવાની તકો ઉભી થઇ જશે. કૃષિ ક્ષેત્રના માર્કેટીંગમાં ઉત્પાદકતા લક્ષી અને વ્યાજબી સ્પર્ધાને કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here