અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગના દુઃખથી પિતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો

અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગના દુઃખથી પિતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો
અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગના દુઃખથી પિતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો

પૂત્ર બાદ પિતાનાં મોતથી યુવકનું નામ લેતા લેતા પિતા જશુંભા એ લીધા છેલ્લા શ્વાસ પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું

રાજકોટ અગ્નિકાંડને લઈ 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત થયું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં મોત થયું છે વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું . નોકરીનાં પ્રથમ દિવસ હતો અને આગ લાગતા તેઓનું મોત નીપજ્યું હતું. પુત્ર બાદ પિતાનાં મોતથી યુવકનું નામ લેતા લેતા પિતા જશુંભા એ લીધા છેલ્લા શ્વાસ.એક આચંકો સહ્ય ન હતો ત્યાંતો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.