ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ અકસ્માતોની 3 ઘટના, 4 લોકોના કમકમાટીભર્યા મોત

GUJARAT-ACCIDENT-DEATH
GUJARAT-ACCIDENT-DEATH

Subscribe Saurashtra Kranti here.

અકસ્માતોની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહૃાો છે ત્યારે ગુજરાતમાં પણ આજે અકસ્માતની અલગ-અલગ ૩ ઘટના બની હતી. જેમાં ૪ લોકોના મોત થયાં હતા.

રાધનપુરના અમીરપુરા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં ૨ યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દૃરમિયાન બંન્ને યુવકના મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાધનપુર પોલીસે આ ઘટના અંગેની ગંભીરતાથી નોંધ લઈને સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સુરતના કામરેજ કોસાડી નજીક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ચાલકનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહૃાો હતો. ત્યારે ધસી આવેલા ટ્રકની ટક્કર વાગી અને ચાલક ટાયર નીચે આવી જતા કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Read About Weather here

આણંદમાં ચોથા માળેથી પટકાતા યુવકનું મૃત્યુ થયું છે. આણંદના વિદ્યાનગર રોડ પર અર્થવ કોમ્પલેક્સમાં છઝ્રનું કોમ્પ્રેસર ફીટ કરવા યુવક ચોથા માળ પર ગયો હતો. ત્યારે છત પરથી પગ લપસતા યુવક નીચે પટકાયો હતો. જેમાં તેનું મૃત્યુ થયું છે. યુવક આંકલાવ તાલુકાના કંજોડા ગામનો રહેવાસી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here