એસ જયશંકર
જયશંકરે કહૃાુ હતુ કે, આ સંસ્થાઓ ભાજપને હિન્દૃુ નેશનાલિસ્ટ પાર્ટી ગણાવે
Subscribe Saurashtra Kranti here.
તાજેતરમાં કેટલાક વિદેશી રિપોર્ટસમાં ભારતનુ લોકતંત્ર નબળુ પડી રહૃાુ હોવાનુ કહેવામાં આવ્યુ હતુ. અમેરિકાની સંસ્થા ફ્રિડમ હાઉસ અને સ્વીડીશ સંસ્થા વી ડેમોક્રેસીના આ રિપોર્ટ પર હવે વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યુ છે.જયશંકરે એક ચેનલ સાથેની મુલાકાત દરમિયાન કહૃાુ હતુ કે, આ એક પ્રકારનુ પાખંડ છે.આ સંસ્થાઓ પોતાને દૃુનિયાના કસ્ટોડિયન સમજે છે અને તેમને પેટમાં દૃુખી રહૃાુ છે કે ભારતમાં તેમના અભિપ્રાયની કોઈ ગણતરી નથી.તેઓ પોતાના હિસાબે નિયમ બનાવે છે અને પોતાની રીતે જ ચુકાદો આપે છે.આ સંસ્થાઓ પાછો દેખાડો કરે છે કે જાણે તેઓ વિશ્ર્વ સ્તરનુ કોઈ કાર્ય રિપોર્ટ બનાવીને કરી રહૃાા છે.
જયશંકરે કહૃાુ હતુ કે, આ સંસ્થાઓ ભાજપને હિન્દૃુ નેશનાલિસ્ટ પાર્ટી ગણાવે છે, આ જ પાર્ટીની સરકારે ૭૦ દેશોને કોરોનાની વેક્સીન આપી છે.ભારતની ચૂંટણી વ્યવસ્થા પર કોઈ સવાલ નથી ઉઠાવતુ, આ સંસ્થાઓ જે દેશોમાં છે તેના માટે આવુ કહી શકાય તેમ છે ?ભારતમાં દરેકની આસ્થા અલગ અલગ છે પણ આપણે ત્યાં કોઈ ધાર્મિક પુસ્તક હાથમાં લઈને સોગંદૃ નથી લેવાતા … મને મારા દેશ પર ભરોસો છે અને મને બહારના સર્ટિફિકેટની કોઈ જરુર નથી અને ખાસ કરીને એવા લોકો પાસેથી તો નહીં જ જેમના પોતાના એજન્ડા છે.
Read About Weather here
ચીન અંગેના સબંધો પર તેમણે કહૃાુ હતુ કે, જે રીતે આપણે ચીનનો મુકાબલો અત્યારે કર્યો તે પાંચ વર્ષ પહેલા શક્ય નહોતુ.આપણે પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવ્યુ છે.ચીન સાથે સબંધો ત્યારે જ સામાન્ય થશે જ્યારે બોર્ડર પર શાંતિ હશે.ચીન દોસ્તીનો હાથ લંબાવશે તો ભારત પણ દોસ્તીનો હાથ લંબાવશે અને ચીન બંદૃુક બતાવશે તો ભારત પણ એવુ જ કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here