પરિવારનાં ત્રણે સભ્યોનાં હરીદ્વાર પાસે અકસ્માતમાં મોત

પરિવારનાં ત્રણે સભ્યોનાં હરીદ્વાર પાસે અકસ્માતમાં મોત
પરિવારનાં ત્રણે સભ્યોનાં હરીદ્વાર પાસે અકસ્માતમાં મોત

અમદાવાદથી હરિદ્વાર માતાના અંતિમ સંસ્કાર માટે જતા પરિવાર સાથે મોટી દુર્ઘટના ઘટી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર તેમની ગાડી વચ્ચે અચાનક ઢોર આવી જતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર સીધી ડિવાઈડરે અથડાઈ હતી. જોકે આ દરમિયાન પરિવારના સભ્યોને થોડી ઘણી ઈજા પહોંચી હતી અને બાદમાં તેઓ બહાર આવ્યા હતા. જોકે જેવા તેઓ બહાર આવ્યા કે તરત જ પાછળથી પૂર ઝડપે આવતા ટ્રકે 3 લોકોને ટક્કર મારી દેતા ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ છે. તથા પરિવારજનો રખડતા ઢોરનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દૌસા આસપાસ રવિવારે આ અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદનાં 32 વર્ષીય હસમુખ પટેલ, તેમની પત્ની સીમા અને કાકા મોહનલાલ સહિત 8 પરિવારના સભ્યો હરિદ્વાર માટે જઈ રહ્યા હતા. તેમના માતાનું હરિદ્વારમાં નિધન થઈ ગયું હતું જેથી બધા અંતિમ સંસ્કાર માટે ત્યાં જઈ રહ્યા હતા. જોકે આ પરિવારના સભ્યોમાંથી 3ના મોત થતા ચકચાર મચી ગઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે હસમુખના માતાનું નિધન થયું હતું. તે છેલ્લા કેટલાક દિવસથી હરિદ્વારમાં રહેતા હતા. તેથી હસમુખ રવિવારે સવારે તેની પત્ની, દીકરી અને અન્ય પરિવારજનો સાથે કાર રૂટથી હરિદ્વાર જઈ રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તેમની કાર સામે અચાનક રખડતો ઢોર આવી ગયો હતો.

જેથી ડ્રાઈવરે તેની સાથે ટક્કરથી બચવા માટે શોર્ટ બ્રેક મારી તો ગાડી ડિવાઈડરે અથડાઈ ગઈ હતી. આ દરમિયાન બધાને નાની મોટી ઈજા પહોંચી પરંતુ સુરક્ષિત તેઓ ગાડીની બહાર આવી ગયા હતા.

હવે એકપછી એક બહાર આવેલા અમદાવાદના પરિવારજનોને જાણ જ નહીં રહી કે આ એક્સપ્રેસ વે પર ટ્રક પાછળથી આવી રહ્યો છે. અકસ્માત બાદ તેઓ જેવા બહાર આવ્યા કે તરત ટ્રકે બહાર આવેલા 3 લોકોને ટક્કર મારી દીધી તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. એટલું જ નહીં અન્ય પરિવારજનોને ગંભીર ઈજા પણ પહોંચી છે.