આઇ.ટી.આર.એ. જામનગર સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે યોગ’ વિષયવસ્તુ પર આધારિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિરનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે
આ શિબિરમાં નામ નોંધાવા અને ભાગ લેવા માટે કેમ્પના દિવસે સ્વસ્થવૃત્ત વિભાગ, ડો. પી.એમ મહેતા રોડ (ચિડિયાખાના રોડ) હનુમાન ગેઇટ પોલિસ ચોકી પાસે જામનગર, સમય: સવારે 9 થી 12 તેમજ સ્વસ્થવૃત્ત વિભાગ શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ ભવન આઇ.ટી.આર.એ. જામનગર ખાતે સાંજે 5 થી 6 દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ યોગ શિબિરનો લાભ લેવા આઇ.ટી.આર.એ.ના નિયામકશ્રી પ્રો. વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા યાદીમાં જણાવવામાં આવે છે કે આ યોગાભ્યાસ શિબિર માં તા. 19-04-2024 માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ તા. 26-04-2024 સગર્ભાવસ્થા દરમિયાન યોગાભ્યાસ,તા. 03-05-2024 “રજોનિવૃ તિ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ, છે.