જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં અવાવરૂ સહિતની જગ્યાઓ પરથી મૃતદેહો મળવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે વઢવાણ તાલુકાના બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ લટકતો હોવાની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને નીચે ઉતારી તેનું પીએમ કરાવી ગાંધી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મોકલી આપ્યો હતો આ બનાવમાં મૃતકના હાથે એન-લવ ત્રોફાવેલુ ધ્યાને આવ્યુ હતુ ત્યારે આ પુરૂષ અંગે તેના વાલી વારસની સહિતની માહિતી મળે તો વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ હતુ. બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં નાની કેનાલ પાસે બજરંગપુરાના કરશનભાઈ ગાંડાભાઈ ચાવડાના ખેતરે પૂર્વ દિશામાં ખેતરના શેઢે ગત તા.૧૩-૪-૨૦૨૪ના રોજ લીમડાના ઝાડની ડાળી સાથે મૃતદેહ લટકતો હોવાની વિગતો બહાર આવી હતી આથી આ ઘટના અંગે કરશનભાઈ ચાવડાએ જાણ કરી હતી ત્યારે હેડકોન્સ્ટેબલ આર ડી ચૌહાણ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અંદાજે ૪૦ વર્ષનો હોવાનું ધ્યાને આવ્યુ હતુ તપાસ આર ડી ચૌહાણ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
Home Latest