શહેરના કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાછળ ન્યુ રાધેશ્યામ સોસાયટી-૧૨માં રામનગર પાછળ રહેતાં પરિવારની ૧૨ વર્ષની દિકરી તા.૧૩/૪ના બપોરે ત્રણેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ બાદ પરિવારજનોએ આજીડેમ પોલીસને જાણ કરતાં સગીરા ગૂમ થવાના કિસ્સામાંપીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. આર. રાઠોડે તુરત જ આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે બાળાના પિતાની ફીરયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Home Latest