ભાવનગર નજીક સનેસ ગામ પાસે ગોઝારો અકસ્માત : પિતા -પુત્ર સહિત ત્રણના ઘટનાસ્થળે કરુણ મોત, 4ને ગંભીર ઈજા

ભાવનગર નજીક સનેસ ગામ પાસે ગોઝારો અકસ્માત : પિતા -પુત્ર સહિત ત્રણના ઘટનાસ્થળે કરુણ મોત, 4ને ગંભીર ઈજા
ભાવનગર નજીક સનેસ ગામ પાસે ગોઝારો અકસ્માત : પિતા -પુત્ર સહિત ત્રણના ઘટનાસ્થળે કરુણ મોત, 4ને ગંભીર ઈજા

 ભાવનગર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સાત યાત્રાળુઓને કચડ્યા હતા. જેમાં ત્રણનાં મોત થયાં છે. જ્યારે ચારને ઈજા પહોંચી છે. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો. બનાવવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર- અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક પૂર ઝડપે આવી રહેલા વાહન ચાલકે યાત્રાળુઓના સંઘને અડફેટે લીધો હતો. સર્જાયેલા  અકસ્માતમાં  સાત યાત્રાળુઓને કચડી નાખતાં ત્રણ યાત્રાળુનાં મોત થયાં છે. જ્યારે ચારને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ચૂક્યો છે. ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુઓનું મોત નિપજ્યું હતું. ની જાન થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 1.વિજય ધીરુભાઈ ગઢવી, ઉ.વ.28 રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા 2. ધીરુભાઈ ગઢવી, ઉ.વ.50 રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા 3. પ્રદીપભાઈ પેમાભાઈ ચૌહાણ, ઉ.વ. 30 રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા નો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં ઇજા પામેલાઓમાં1.બાબુભાઈ ડાભી ઉ.વ.40, રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા 2. બકાભાઇ પટેલ ઉ.વ.60 રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા3. ગુલાભાઈ રાઠોડ ઉ.વ.30, રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા4. અજાણ્યો વ્યક્તિ નો સમાવેશ થાય છે.