એક તરફ યોગગુરુ બાબા રામદેવ સુપ્રિમ કોર્ટનો આકરો તાપ સહન કરી રહ્યા છે. તે સમયે જ પતંજલીના મધમાં ભેળસેળ સાબિત થતાં જ કંપની પર રૂા.એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
2020માં ડીડીહાર્ટ સ્થિત ગૌરવ ટ્રેડીંગ કંપની નામની દુકાનમાંથી પતંજલિના મધનો નમુનો લેવાયો હતો અને હવે તેનો રિપોર્ટ આવ્યો છે. ઉત્તરાખંડમાં જ્યાં આ મધનું ઉત્પાદન થાય છે ત્યાં તપાસમાં મધમાં સુક્રોઝની માત્રા ડબલ જોવા મળી હતી.
જીલ્લા ખાદ્ય સુરક્ષા વિભાગે સ્થાનિક લેબમાં તપાસ માટે મોકલ્યા બાદ હવે રીપોર્ટ આવતા કંપની પર રૂા.એક લાખનો દંડ ફટકારાયો છે.