રાજકોટ ગોંડલ હાઈવે ઉપર આવેલા રાજકોટ નજીકના શાપર વેરાવળમાં આજે એક જ દિવસમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
આજે બપોરે ૧ર.૫૦ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ ફરી અડધી કલાકના સમયમાં બે વધુ આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ૧.૩૦ વાગ્યે વધુ એક આંચકો આવતા એક દિવસમાં ભૂકંપના પાંચ આંચકા આવ્યા હતા.તેમ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાએ જણાવ્યું હતું.
આ ભૂકંપના આંચકા શાપર વેરાવળ તથા કોટડા સાંગાણી સહિતના વિસ્તારોમાં અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા દસ દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાનું શાપરવેરાવળના ૅઅકિલૉ ફેસબૂક લાઈવના શ્રોતા ભાઈ હેરીએ જણાવ્યું છે. જો કે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાં તેની કોઈ નોંધ થઈ નથી.