દાઝી જવાથી વૃદ્ધાનું મૃત્યું નિપજ્યું

દાઝી જવાથી વૃદ્ધાનું મૃત્યું નિપજ્યું
દાઝી જવાથી વૃદ્ધાનું મૃત્યું નિપજ્યું

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં વૃધ્ધાનું કોઇપણ કારણોસર દાઝી જવાથી અકસ્માતે તેનું મોત થયાનું પોલીસ દફતરે જાહેર થયું છે.
જામનગરમાં અકસ્માતે મોતના આ બનાવની વિગત વધુ વિગત મુજબ શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં બાયાબેન જીવાભાઇ વારસુર (ઉ.વ.70) કોઇપણ કારણોસર અકસ્માતે દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયા બાદ તેઓનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે શંકરટેકરી, નહેરરૂનગર શેરી નં.સી માં રહેતાં ગોપાલભાઇ રામજીભા વારસુરે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃત્તકનો કબ્જો સંભાળી મૃત્તદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે આ બનાવ અંગે વધુ વિગત મેળવવા તપાસ હાથ ધરી છે.