ટંકારા સિવિલ જજ અને જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા ટંકારા તાલુકાના ઓટાળા, બંગાવડી, દેવડીયા ગામના ૮૭ ખેડૂતોને ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ મુજબ શિક્ષાપાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે .
ફરિયાદની વિગતમાં આરોપીઓએ બંગાવડી સિંચાઈ યોજના ના ટીબીસી વિસ્તારમાં ખરાબા માં બિન અધિકળત રીતે અંડરગ્રાઉન્ડ સિમેન્ટ /પીવીસી/ પાકી પાઇપલાઇન સ્થાપિત કરી ડેમમાંથી બિન અધિકળત પાણીનો વપરાશ કરતા હતા.
સાહેદ ભાણજીભાઈ મોહનભાઈ મેંદપરાએ ગુજરાત હાઇકોર્ટના માં અરજી કરી ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ બિન અધિકળત પાઈપ લાઈન અંગે ગુનો દાખલ કરાવેલ .
આ અંગેની ફરિયાદ હિતેન્દ્ર લાભ શંકર ઠાકર મદદનીશ ઇજનેરએ ટંકારા પોલીસમાં ૯/ ૩ ૨૦૧૪માં નોંધાવેલ .
અરજદાર ભાણજીભાઈ દ્વારા હાઇકોર્ટમાં બિન અધિકળત પાઇપલાઇન દૂર કરવા પિટિશન દાખલ કરવામાં આવેલ .આ અંગે નોટિસ પાઠવતા તૂટક ત્રુટક રીતે પાઇપલાઇન દૂર કરાયેલ .
અરજદાર ભાણજીભાઈ ને સંતોષ ન થતાં હાઇકોર્ટમાં પાઈપ લાઈન દૂર કરવા કન્ટેન્મપ્ટ દાખલ કરેલ અને રીસીવરની ફી ભરી નિમણૂક કરાવી બિન અધિકળત પાઇપલાઇન દૂર કરાવેલ .
આરોપીનો વકીલ મુકેશભાઇ બારૈયા હતા .કોઈ ખેડૂતે બિન અધિકળત રીતે પાણી લીધેલ હોય તો તેના ખેતરના પાકની માપણી કરી સિંચાઈ વિભાગના દર મુજબ ની રકમ દંડનીય વસૂલ કરાય છે. પરંતુ દંડ કરવાની કાયદેસરની કાર્યવાહી થયેલ હોવાનું રેકોર્ડ ઉપર નથી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદાઓને પણ ધ્યાનમાં લેવાયેલ.
આ કેસ ચાલી જતા ત્રણેય ગામના ઓટાળા, બંગાવડી, દેવડીયા ગામના ૮૭ ખેડૂતોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો પ્રિન્સીપાલ સીવીલ જજ અને ફર્સ્ટ ક્લાસ અને જયુડિ મેજિ.એસ.જી.શેખ દ્વારાહુકમ કરવામાં આવેલ છે.
આ કામે વકીલ તરીકે મુકેશભાઈ બારૈયા તથા ફરિયાદી પક્ષે વી. એ. પી. પી. શ્રી નીતિનભાઈ જોગી રહેલ. હતા.