માણાવદર પાસે બાઇક સ્‍લીપ થતાં પતિનું મોત

માણાવદર પાસે બાઇક સ્‍લીપ થતાં પતિનું મોત
માણાવદર પાસે બાઇક સ્‍લીપ થતાં પતિનું મોત

માણાવદર તાલુકાના કોયલાણા ઘેડ ગામના ઉદયસિંહ ઉર્ફે ઉદેસિંગ જોરુભા ચાવડા ઉ. વ. ૬૪ ગામના વૃદ્ધ અને તેમના પત્‍ની કૃષ્‍ણાબા પાંચ એપ્રિલના રોજ તેમના મોટરસાયકલ ઉપર બેસીને જઈ રહ્યા હતા ત્‍યારે માણાવદર પાસે નેહલગીરી આશ્રમ નજીક વળાંકમાં બાઈક સ્‍લીપ થઈ જતા વૃદ્ધનું મૃત્‍યુ નીપજયું હતું અને તેમના પત્‍નીને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

આ અકસ્‍માત અંગે માણાવદર પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે