ગોંડલના પાટખીલોરી ગામની સીમમાં આપઘાત કરનાર યુવક અને સગીરા સાળી બનેવી હોવાનું અને બંને એક ન થઇ શકતા આપઘાત કર્યાનું ખુલ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મધ્ય પ્રદેશ નાં બરહનપુર જીલ્લાનાં ડુંડગામ રહેતા ચંપીલાલ સુરસંગ બારડે ઉ.૧૯ ને તેની સગીર વય ની સાળી સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમને સમાજ કે પરીવાર સ્વીકારશે નહી તેવી લાગણી સાથે ગત ૧૫ માર્ચ ની આસપાસ બંને ઘરેથી નાશી છુટયા હતા. અહીતહીં રખડી પંદર દિવસ પહેલા ગોંડલનાં પાટખિલોરી ગામે ચંદુભાઈ રવજીભાઈ ગોળની વાડીએ ખેતમજુરી કરવા રહ્યા હતા. દરમ્યાન આ જન્મ માં એક થઈ જીવવું શકય નહી લાગતા પ્રેમમાં ઓત પ્રોત પ્રેમી પંખીડાએ ગત રાત્રે વાડીમાં લીમડાનાં ઝાડની ડાળીએ સજોડે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પોલીસ સુત્રો અનુસાર ચંપીલાલ અને પોતાની સગી બહેન વચ્ચેનાં પ્રેમની જાણ ચંપીલાલ ની પત્નીને થતા અને પ્રેમી પંખીડા નાશી છુટતા પત્નિ ઘર છોડી માવતર ચાલી ગઈ હતી. બનાવ અંગે જમાદાર હિતેશભાઈ ગરેજા એ તપાસ હાથ ધરીછે.