આકરા તાપથી લોકો અકળાયા

આકરા તાપથી લોકો અકળાયા
આકરા તાપથી લોકો અકળાયા

સોરઠમાં તાપમાનનો પારો ૪૧ ડીગ્રી નજીક પહોંચી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે જુનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ર૩.૩ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે બે ડિગ્રી તાપમાન વધીને રપ.૩ ડીગ્રી નોંધાયું હતું. આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૬૧ ટકા થઇ જતા ગરમી વધી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિલોમીટરની રહી હતી.

બુધવારે જુનાગઢનું મહત્તમ તાપમાન ૪૦.૯ ડીગ્રી રહ્યા બાદ આજે પણ સવારથી જ અગન વર્ષા શરૂ થઇ જતા બપોરે તાપમાન ૪૦ ડીગ્રી ઉપર રહેવાની શકયતા છે.