નાસ્તાની દુકાનના ટેબલ ખુરશી-કાઉન્ટરના ઘા કરી નુકશાન ત્રણ શખ્શો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

નાસ્તાની દુકાનના ટેબલ ખુરશી-કાઉન્ટરના ઘા કરી નુકશાન ત્રણ શખ્શો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
નાસ્તાની દુકાનના ટેબલ ખુરશી-કાઉન્ટરના ઘા કરી નુકશાન ત્રણ શખ્શો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

નવા બસ સ્ટેન્ડમાં આર કે ઘૂઘરા નામની દુકાને બેસી વેપાર કરતી મહિલાને થોડા દિવસ પૂર્વે એક ઇસમેં માર માર્યો હતો તો ગઈકાલે દુકાને ત્રણ ઇસમોએ આવી કોઈ કારણ વગર ગાળો બોલી ટેબલ ખુરશી અને કાઉન્ટરના ઘા કરી નુકશાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના વાઘપરામાં રહેતા મીરાબેન સનતભાઈ દુબલ (ઉ.વ.૩૨) આરોપી તૌફીક ઈબ્રાહીમ ચાનિયા રહે મોરબી પરશોતમ ચોક, કાનજી રાવળ રહે મોરબી અને અજાણ્યો ઇસમ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મીરાબેનની નવા બસ સ્ટેન્ડ ખાતે આર કે ઘૂઘરા નામની દુકાન આવેલ હોય જ્યાં આરોપીઓ આવી કોઈ કારણ વગર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દુકાન બહાર પડેલ ટેબલ ખુરશી અને કાઉન્ટરનાઘા કરી નુકશાન કર્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.